Skip to main content

Featured

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

   માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુરક્ષા ક્...

આણંદ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મિશન મોડ ઉપર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ

આણંદ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મિશન મોડ ઉપર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ
આણંદ શહેરી વિસ્તારમાં ભારે વરસાદ બાદ સ્વચ્છતા કામગીરી કરવામાં આવી ***** આણંદ જિલ્લામાં ગત દિવસો દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના કેટલાક વિસ્તારમાં કેટલાક સ્થળોએ કચરો અને ગંદકીની સ્થિતિ સર્જાઇ જવા પામી હતી. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણભાઈ ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકા તંત્રની ટીમો દ્વારા ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લાના વિવિધ સ્થળો ઉપર ફેલાયેલ કચરો અને ગંદકીને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આણંદ નગરપાલિકા દ્વારા પણ આણંદ શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરી વિસ્તારમાં વિવિધ સ્થળો, માર્ગો ઉપર સાફ-સફાઇની કામગીરી કરવામાં આવી છે. જેમાં શહેરના હરિઓમ નગર, કેદાર પાર્ક સોસાયટી, નાની ખોડિયાર પાસે આવેલ દિયા સિનેમા પાસે, આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ ડોલ્ફીન રેસ્ટોરેન્ટ, વિવેકાનંદ વાડી વિસ્તાર અને લાંભવેલ રોડ પરના વિસ્તારોમાં વરસાદ બાદની સ્વચ્છતા કામગીરી કરવામાં આવી છે.

આણંદ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મિશન મોડ ઉપર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ ***** આણંદ શહેરી વિસ્તારમાં ભારે...

Posted by Info Anand GoG on Thursday, August 29, 2024

Comments