Skip to main content

Featured

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

   માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુરક્ષા ક્...

જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ બોરસદના રાસ ગામના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ બોરસદના રાસ ગામના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી આ મુલાકાતમાં જોડાયા આણંદ જિલ્લામાં ગતરોજ પડેલ ભારે વરસાદને કારણે ને ખાસ કરીને બોરસદ તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે જિલ્લાની મુલાકાતે આવેલા આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલે કાંસની સાફ સફાઈની બાબતને અગ્રીમતા આપી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે અન્વયે કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આજે બોરસદ તાલુકાના રાસ ગામના નિચાણવાળા વિસ્તારો, અસરગ્રસ્ત લોકોની રૂબરૂ મુલાકાત કરી હતી. આ વેળાએ તેમની સાથે બોરસદના ધારાસભ્ય શ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી પણ જોડાયા હતા. કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે સંવાદ કરી તાલુકાઓમાં આવેલ વિવિધ કાંસની સિંચાઇ વિભાગ દ્વારા સત્વરે સાફ – સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.. તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકો સાથે સંવાદ કરીને પાણી ભરાવવાની સમસ્યાનું સત્વરે નિકાલ કરવાની હૈયાધારણા પણ આપી હતી. *****

જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ બોરસદના રાસ ગામના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી ****** નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ...

Posted by Info Anand GoG on Wednesday, August 28, 2024

Comments