Skip to main content

Featured

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

   માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુરક્ષા ક્...

જિલ્લા અને તાલુકાની ટીમો દ્વારા વિવિધ ૨૭ જેટલા ગામોમાં કાંસ સફાઇની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ

આણંદ જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્ર એકશન મોડમાં જિલ્લા અને તાલુકાની ટીમો દ્વારા વિવિધ ૨૭ જેટલા ગામોમાં કાંસ સફાઇની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ
સમગ્ર આણંદ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિમાં કેટલાક સ્થળોએ વરસાદી પાણી ભરાઇ રહેવાની સમસ્યા સર્જાતા જિલ્લાવાસીઓને આ સમસ્યા વેઠવી ન પડે તે હેતુથી જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની સૂચના અન્વયે જિલ્લાના વિવિધ ગામોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરાયેલા પાણીના નિકાલ માટે ખાસ કરીને આણંદ જિલ્લામાંથી પસાર થતાં કાંસની સફાઈ અગ્રતા ધોરણે કરવામાં આવી રહી છે. જેમાં અંદાજિત ૪૫ કિ.મી. જેટલી લંબાઈના કાંસ વિસ્તારની સફાઈ હાથ ધરવામાં આવી છે. જિલ્લાના ૨૭ જેટલા ગામોમાં હાથ ધરવામાં આવેલ કાંસની આ સફાઈના કાર્યમાં ૦૬ હિટાચી મશીન, ૩૦ જેટલા જેસીબી મશીન, ૧૫ જેટલા ટ્રેક્ટર અને માનવ બળ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો જેવા કે, સોજીત્રા, નાપા, સિલવાઈ, પાળજ, આમોદ, નાર, વડદલા, કણીયા, રામોદડી, માનપુરા, શાહપુર, બાંધણી, વહેરા, રાસ, ઇસણાવ, વિરોલ, જોળ, ઉમરેઠ, બોચાસણ, પામોલ-બોરસદ, સિંગલાવ-બોરસદ, સિંહોલ, સંદેશર, દંતાલી, સાંસેજ, પેટલાદ અને ફાંગણી વિસ્તારોમાં કાંસમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા અને તાલુકાની ટીમો દ્વારા વહેલી સવારથી મોડી રાત સુધી કાંસની સાફ-સફાઇની કરી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે, તેમ કાર્યપાલક ઈજનેરશ્રી સિંચાઇ વિભાગ, આણંદ દ્વારા જણાવાયું છે. *****

આણંદ જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્ર એકશન મોડમાં ******* જિલ્લા અને તાલુકાની ટીમો દ્વારા...

Posted by Info Anand GoG on Thursday, August 29, 2024

Comments